સુરતમાં બેગમપુરામાં લાકડાના જૂના બે મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો

ISw6J0IyFjM
ગુજરાત

સુરત
સુરતબેગમપુરામાં દારૂખાના રોડ પર આવેલી મોતી ટોકિઝની બાજુમાં બે મકાનમાં આગ લાગી ગઈ હતી. લાકડાના મકાનમાં લાગેલી આગના પગલે આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો. ઘરના સભ્યો નોકરી ધંધે ગયા હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી.
 
બેગમપુરામાં લાકડાના બે મકાનોમાં લાગેલી આગની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક નિયમનની સાથે મોટી સંખ્યામાં આગને જોવા આવતાં લોકોના ટોળાને વિખેરીને ફાયરબ્રિગેડની કામગીરીમાં અડચણ રૂપ લોકોને દૂર કર્યાં હતાં.
 
 
દારૂખાના રોડ પર આગળની બાજુ નરેશભાઈ કાપડીયાનું મકાન આવેલું હતું. અગમ્યકારણોસર લાગેલી આગના કારણે તેમનું આખું બળીને ખાખ થઈ ગયું હતુ જ્યારે એમની પાછળ અશોક રાણાના મકાનનો ચોથો માળ આગની ઝપેટમાં આવતા બળી ગયો હતો.
 
આગ લાગી તે દરમિયાના મકાનમાં રહેતા ઘરના સભ્યો નોકરી-ધંધે ગયા હતાં અને બાકીના સભ્યો ઓટલે બેઠાં હતાં જેને લઈ કોઈ જાનહાની નોંધાઈ નથી. હાલ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
 
અહેવાલ-: વાસના ભાઈ  બારોટ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.