આગામી તા.૨૬ જાન્યુનઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જીલ્લાન વહીવટીતંત્ર દ્વારા કરાયેલ આયોજન અને હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્ય ક્ષસ્થારને પાલનપુર મુકામે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં ઉજવણી પ્રસંગે કરાયેલ આયોજન અને તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે પ્રભારી સચિવએ વિગતવાર સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી. તેમણે કહ્યું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સમગ્ર જીલ્લારમાં હર્ષ અને ઉત્સાહ તથા રાષ્ટ્રહપ્રેમભર્યો સરસ માહોલ સર્જાય તેવુ પરિણામદાયી આયોજન અને જરૂરી વ્યઉવસ્થાર કરીએ. પ્રભારી સચિવએ કહ્યું કે બનાસકાંઠા જીલ્લોની ગૌરવભરી ઓળખ આ પ્રસંગે રાજય અને દેશ સમક્ષ
રજુ થશે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે તા. ૭ થી ૨૬ જાન્યુજઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં દરેક દિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવશે. તા. ૭ જાન્યુનઆરીની યુવા સ્વાવલંબન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે યુવા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યોત હતો. તા. ૮ જાન્યુઆરીની સ્વોચ્છયતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર જીલ્લાયમાં વિશાળ પાયે સ્વ.ચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.