બનાસકાંઠા જિલ્લામાં હવે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પણ ભાવ ન મળવાના કારણે શાકભાજી કચરામાં ફેંકી દેવનો વારો આવતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા અંગે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવાય તેમ ખેડૂતો ઇચ્છી રહયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાના દાવા કરી રહ્યા છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો ને જે રીતે કૃષિ પેદાશોના ભાવો મળે છે તે જોતા ખેડૂતોની હાલત કેવી હશે તેવા વિચારથી પણ દિલ દ્રવી ઉઠે છે. એક તરફ કુદરત રૂઠી છે અને વરસાદ ન થતા ખેડૂતોનું વર્ષ બગડયું છે. ત્યારે બીજી તરફ પાણીવાળા વિસ્તારોમાં પણ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત ખુબ જ કફોડી બની છે