રખેવાળ ન્યુઝ ધાનેરા : હાલ ગુજરાતના ખેડૂતો રાત ઉજાગરા કરી રહ્યા છે.પહેલા કમોસમી વરસાદ વાવજોડું જયારે હાલ વાવ થરાદ લાખાણી સહિતના ગામોમાં તીડએ વિનાશ વેર્યા બાદ ગત રોજ ધાનેરા તાલુકાના ત્રણ જેટલા ગામોમાં તીડ જોવા મળ્યા હતાં.જેમાં કુમર સિલાસણા તેમજ છીંદીવાડી ગામમાં તીડનું જૂથ આવતા ખેડૂતો તીડ સામે લડવા તૈયાર થઈ ગયા હતા.આ ત્રણ ગામોમાં ગત રોજ તીડએ ધામાં નાખ્યા હતા.જયારે આ તરફ ખેડૂતોએ ઘરમાં પડેલ ડબ્બા,તગારા,ઢોલ સહિતનો ઉપયોગ કરી અવાજ દ્વારા તીડના જૂથને ખેતર તરફના આવે તે માટે ના પ્રયથન કર્યા હતા.જો કે તીડની સંખ્યા ઓછી હોવાથી મોટું નુકસાન થવા થી બચી ગયું છે.સિલાસણા ગામના એક ખેડૂતના એરંડાના પાકમાં રાત્રી દરમિયાન તીડ એ વિરામ લેતા સવારે એરંડાના પાકની હાલત કૈક જુદી હતી.એરંડાના પત્તા અને નવા ફૂટેલા બીજને તીડ એ નાશ કર્યો હતો અને હર્યા ભર્યા એરંડાનો પાક આજે સુખી લાકડી જેવો લાગતો હતો. ખેડૂતે તીડ ને લઈ કરેલી મથામણ કેમેરા સામે વ્યક્ત કરી હતી.
ધાનેરા તાલુકાના માત્ર ત્રણ ગામોમાં તીડ હાલ જોવા મળ્યા છે.જો કે તીડને લઈ ધાનેરાના ખેડૂતો પણ સજાક થઈ ગયા છે.ગત રોજ આ ત્રણ ગામોમાં તીડ દેખાતા હાલ પણ ખેડૂતો પોતાના ખેતરમાં અવાજ કરી તીડને ભગાડી રહ્યા છે.બાળકો મહિલા પુરુષો સૌ સાથે મળી તીડને ભગાવી રહ્યા છે. ખેતરમાં ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરી આગ લગાવી ધૂમાડો પણ કરી રહ્યા છે.જો કે રાયડની ડાળ તેમજ વરિયાળી અને એરંડા જેવા પાકને પસાર થયેલ તીડ એ નુકશાન કર્યું છે.