પાલનપુર અને અમદાવાદ સહિત 22 સ્ટેશનો પર હવે ફક્ત 'રેલનીર' બ્રાન્ડની પાણીની બોટલનું જ વેચાણ થસે

સાણંદના પ્લાન્ટમાં દરરોજ 90 હજારથી એક લાખ પાણીની બોટલો એટલે કે 6 હજારથી વધુ બોક્સ તૈયાર કરવામાં આવશે
 
રેલવે બોર્ડના આદેશ બાદ અમદાવાદ સહિત રાજ્યના અન્ય સ્ટેશનો પર સોમવારથી રેલનીર બ્રાન્ડ સિવાયનું પાણી વેચી શકાશે નહીં. આ આદેશના પગલે આ સ્ટેશનો પર અન્ય બ્રાન્ડની પાણીની બોટલોનું વેચાણ બંધ કરી દેવાશે. જો કોઈ સ્ટોલ ધારક અન્ય બ્રાન્ડનું પાણી વેચશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. 
 
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા અમદાવાદ નજીક સાણંદ ખાતે શરૂ કરાયેલા રેલનીર પ્લાન્ટમાંથી આ સ્ટેશનો પર રેલનીર પહોંચાડવામાં આવશે. સાણંદના પ્લાન્ટમાં દરરોજ 90 હજારથી એક લાખ પાણીની બોટલો એટલે કે 6 હજારથી વધુ બોક્સ તૈયાર કરવામાં આવશે.
 
કયા કયા સ્ટેશને રેલનીર સપ્લાય થશે 
 
અમદાવાદ, પાલનપુર, વીરમગામ, ગાંધીનગર, મણિનગર, સાબરમતી, સુરેન્દ્રનગર, નડિયાદ, ગાંધીધામ, મહેસાણા, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, ઓખા, આણંદ, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, આબુરોડ, ઉદયપુર સિટી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.