લાખણીમાં ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મંડપમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મંડપ ઉપર અચાનક ફટાકડાનું તણખુ પડતા આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગતાં મંડપ બળીને ખાખ થઇ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. જોકે, ત્રણ દિવસ પહેલા ઉજવાયેલ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આગ લાગી હતી.