અમીરગઢ તાલુકાના ચેખલા ગામથી અજાણ્યા ઈસમની લાશ મળી

અમીરગઢ તાલુકાના ચેખલા ગામેથી અજાણ્યા ઈસમની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી. પાલનપુર આબુરોડ હાઈવે નજીક અજાણ્યા ઈસમની કોહવાઈ ગયેલ લાશ મળતા લોકોમાં હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાના તર્કવિતર્ક વહેતા થયા હતા. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી લાશને પી.એમ. માટે સરકારી દવાખાને ખસેડી હતી. 
અમીરગઢ તાલુકાના ચેખલા ગામ ફોરલેન હાઈવે પાસે અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. લાશના દેખાવ પ્રમાણે થોડા દિવસનો સમય થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. લાશ જાવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અમીરગઢ તાલુકામાં અગાઉ પણ આ રીતે મારીને લાશ ફેંકી દેવાના બનાવો બનતા હોવાથી અમીરગઢ તાલુકાની પ્રજામાં ભયનો માહોલ સેવાઈ રહ્યો છે. ડરના મારે પ્રજા હવે ઘરથી બહાર નીકળવા પણ વિચાર કરવા પર મજબુર થઈ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.