ભાભર પંથકમાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ

ભાભર પંથકના દશ જેટલા ગામોના ખેતરો સુધી નહેરનું પાણી ન પહોંચતા ખેડૂતોના ખેતરો સુકા ભઠ્ઠ ભાષી રહ્યા છે, માઈનોર, સબ માઈનોર જેવી નાની કેનાલોના છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચતુ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે, જેના કારણે ખેડૂતોનો સરકાર સામે ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે. આ વિસ્તારના ખેડૂતો ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. અને મોટા ભાગના ખેડૂતોને તંત્રના પાપે નર્મદા નહેરનું પાણી ન મળતા શિયાળુ સિઝન ફેઈલ જવાથી રોષ જાવા મળી રહ્યો છે, સરકારના ઉચ્ચ અધિકારીઓ સરકારને કાગળ ઉપર સબ સલામતીની પોકાર સુણાવી રહ્યા છે. પરંતુ સ્થળ ઉપર હકિકત વિપરીત છે, જેના કારણે આગામી લોક સભા ચૂંટણીમાં ખેડૂતોના રોષનો ભોગ સતાધારી પાર્ટી બને તો નવાઈ નહીં ? સરકાર સત્ય હકિકત જાણે તે જરૂરી છે.
ભાભર પંથકના ખેડૂતો દુષ્કાળની થપ્પડ બાદ અને સરકારી તંત્રની બેદરકારીથીખેડૂતો નુકશાન ઉપર નુકશાન કરી રહ્યાની ફરીયાદો ઉઠવા પામી છે, ખેડૂતોને “પડતા ઉપર પાટુ સમાન” એરંડાના ભાવ ઉચકાયા હતા. પરંતુ  એરંડા પાકમાં થુલીયો નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે, એરંડાની માળ ઉપર થુલીયા નામનો ચેપ આવતાં માળ બનતી નથી અડધી માળ બની જાય છે. જેના કારણે એરંડાના ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીંતી સેવાઈ રહી છે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.