થરાદની નર્મદા કેનાલમાંથી બિનવારસી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ એક રાહદારીને થતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર નીકાળી હતી. જોકે લાશ આગળના પાણી પ્રવાહમાંથી તરતી આવી હોવાથી લાશની ઓળખવિધી થઇ શકી નથી. ઘટનાને લઇ થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલોમાંથી અવાર-નવાર લાશ મળી આવતી હોય છે. આજે સવારે કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ તરતી હોવાનું એક રાહદારીને જાણ થઇ હતી. જેથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમતને અંતે યુવકની લાશને બહાર નીકાળી હતી. નોંધનિય છે કે, લાશ પાણીના પ્રવાહમાં આગળથી તરી આવી હોવાથી હજી ઓળખ થઇ શકી નથી