રાધનપુરમાં રૂ ની મખમલી ચાદર પથરાઈ

રાધનપુરમાં દિવાળી બાદ જિનિંગ મિલોમાં કપાસની આવક શરુ થઇ ગઈ છે,જિનિંગ મિલોમાં નજર કરીએ તો જાણે કે મખમલી સફેદ ચાદર પાથરી હોય તેવું લાગી રહ્યું છે.કપાસની આવક જાન્યુઆરી સુધી ચાલશે તેવી ધારણા જિનિંગ મિલના માલિકો લગાવી રહ્યા છે. હાલમાં રોજની વીસ હજાર મણ કપાસની આવક થઇ રહી છે.જો કે આ આવક ટૂંકા સમય માટે જ છે તેવી ધારણા છે.
અંબા ઇન્ડસ્ટ્રીઝના કલ્પેશભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ રોજની વીસ હજાર મણની આવક થઇ રહી છે,પરંતુ આ વર્ષે ઓછા વરસાદના કારણે આ આવક ટૂંક સમય માટે જ ચાલુ રહે તેમ છે. કપાસની ખેતીમાં ખેડૂતોને રોકડા નાણાં મળી જતા હોવાથી ખેડૂતો કપાસની ખેતી કરવાનું વધુ પસંદ કરે છે. ભાવેશ ઇન્ડસ્ટ્રીઝના ચેલગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કપાસના ભાવ રૂ.૧૧૩૫ થી ૧૧૪૦ જેટલા છે,જે ખેડૂતોને પોષાય તેમ છે.કપાસની આવક જાન્યુઆરી અંત સુધી ચાલુ રહે તેવી શક્યતા રહેલી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.