બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના પુરાવા રૂપ હત્યા અને લૂંટ જેવા બનાવો પણ બનવા લાગ્યા છે. ત્યારે જિલ્લા મુખ્યાલય પાલનપુરની મોટી બજારમાં સવારે આઠેક વાગ્યાના સુમારે લૂંટના ઇરાદે આવેલા કેટલાંક શખ્સોએ સોની વેપારીની થેલી પડાવી લેવા તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, વેપારીની બૂમાબૂમ અને ચીસો સાંભળી આજુબાજુમાંથી લોકો દોડી આવતાં લૂંટારા પલાયન થઇ ગયા હતા. બાદમાં ગંભીર હદે ઘવાયેલ વેપારીને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. બનાવના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.