લાખણી સામૂહીક આરોગ્ય કેન્દ્રના ર્ડાક્ટરે જટીલ ઓપરેશન કરી સગર્ભા મહીલાની કૂખે જન્મેલા બે નવજાત બાળક અને માતાને જીવતદાન આપ્યું હતું. વાસણા ગામની સગર્ભા મહિલા ગીતાબેન રણછોડભાઈ પટેલને પ્રસવની પીડા ઉપડતા પ્રસુતિ માટે સામૂહીક આરોગ્ય કેન્દ્ર લઈ જવાઈ હતી. જ્યાં ફરજ ઉપરના તબિબ ર્ડા.સી.બી. ખત્રીએ તાબડતોબ તપાસ કરતા ગર્ભાશયમાં બે બાળકો જાડાયેલા હતા તેથી તરત ઓપરેશનમાં લઈ મહા મહેનતે જટીલ અને જાખમી ઓપરેશન કરી બંને બાળકોને જન્મ અપાવ્યો હતો. તેથી પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી. માતા અને બાળકોને જીવતદાન આપનાર ર્ડાક્ટરની સેવાની સુવાસ પંથકમાં મ્હેંકી ઉઠી છે.