રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુનાહિત પ્રવૃતિઓનું પ્રમાણ વધી રહ્યું છે. લોધીકાના રાતૈયા ગામમાં રહેતા 24 વર્ષીય યુવકને તીક્ષ્ણ હથિયારના 11 ઘા મારીને હત્યા કરી હોવાની ઘટના બની છે. હત્યા કોણે અને શા માટે કરી તે રહસ્ય ઉકેલવા લોધીકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે લોધિકાના રાતૈયા ગામમાં રહેતા યુવાનની મેટોડામાં મંડપ સર્વિસ અને લાઈટ ડેકોરેશનની દુકાન હતી. આ યુવાન મોડીરાત્રે દુકાન બંઘ કરીને ઘરે જતો હતો કે અચાનક કોઈએ આવીને સાથળ, થાપા અને કમર તેમજ પીઠમાં તીક્ષ્ણ હથિયારના 11 ઘા મારી દેતા તેનું મોત થયું હતું. આ યુવાનની બે દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. પહેલા તો અકસ્માત સમજીને પરિવારજનોએ તેણે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પણ તબીબે તેના શરીર પર ઘા જોઈને હત્યા થયા હોવાની પુષ્ટિ કરી હતી.