રાધનપુરમાં કરિયાણાની દુકાન ધરાવતા મૂળ સમી તાલુકાના અમરાપુરના વાતની એવા અમૃતભાઈ ખેંગારભાઈ નાડોદાનો પુત્ર વિશાલે પાટણની પાયોનિયર સ્કૂલમાં અભ્યાસ કરીને ધો.12 સાયન્સની પરીક્ષામાં 97.33 પર્સેન્ટાઇલ મેળવ્યા છે,જયારે ગુજકેટની પરીક્ષામાં 99.07 પર્સેન્ટાઇલ મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. રાધનપુર દલિત સમાજનું ગૌરવ રાધનપુરના દલિત સમાજના વસંતભાઈ પરમારની દીકરી જ્યોતિબેન પરમારે ધો.12 સાયન્સની પરીક્ષામા 650 માંથી 443 માર્ક્સ મેળવી 86.33 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા હાંસલ કરીને સમગ્ર દલિત સમાજનું ગૌરવ વધાર્યું છે.