ખાતરમાં ફરી એક્વાર ભાવ વધારો ઝીંકાતા ખેડૂતો ચિંતાતુર

 
 
૫ાલનપુર
ખેડૂતોને પડતા પર પાટું મારતા પંદર દિવસમાં બીજી વાર ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂત વર્ગ પરેશાન બન્યો છે અને આક્રોશ સાથે ખાતરના ભાવ ઘટાડાની માંગ કરી છે. સાથે સાથે ખાતરના ભાવ નહીં ઘટે તો આવનારી લોકસભાની ચૂંટણી પણ સરકાર ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
બનાસકાંઠાની વાત કરવામાં આવે તો નહીંવત વરસાદને લીધે ખેડૂત આલમ પરેશાન છે ત્યારે આજે સરદાર ખાતરના ડીએપી અને એનપી કે ખાતરમાં ભાવ વધારો ઝીંકાયો છે પંદર દિવસમાં આ બીજી વાર ભાવ વધારો છે અને જેને લઇને ખેડૂત વર્ગ પરેશાન બન્યો છે પશુપાલન અને ખેતી દિનપ્રતિદિન મોંઘી બનતી જાય છે જોકે ઉત્પાદન નહીવત હોવાથી ખેડૂત આર્થિક સંકળામણમાં છે ત્યારે બનાસકાંઠામાં જે પ્રકારે વરસાદની વીજળીથી પણ લોકો પરેશાન છે ત્યારે આજે ખાતરના ભાવમાં વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં સરકારને માઠા પરિણામ ભોગવવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી રહ્યા છે.
ઇફ્‌કો બાદ સરદાર ખાતરી પણ ખાતરના ભાવમાં વધારો કર્યો છે ડીએપી ખાતરમાં સાઇઠ રૂપિયા અને એનપીએ ખાતરમાં ૨૫ રૂપિયાનો વધારો કર્યો છે.જોકે અત્યારે જે ખાતરના સરદાર ખાતાના ડિસ્ટ્રિક્ટ પાસે જૂનો સ્ટોક હશે તે જ જેના ભાવ પ્રમાણે ખેડૂતોને મળશે પરંતુ ભાવ વધારો ઝીંકાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસર્યુ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.