રાજકોટમાં જેતપુરના રિસોર્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ધોરાજી રોડ પર હનુમાન ચોકડી પાસે આવેલા રિસોર્ટમાં એલપીજીના સિલિન્ડર લીક હોવાના કારણે આ ગમખ્વાર ઘટના બની હતી. જો કે, સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, રાજકોટમાં ધોરાજી રોડ પર હનુમાન ચોકડી પાસે આવેલા એક રિસોર્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના બનતા તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં મોટા પ્રમાણમાં રિસોર્ટની અંદર રહેલી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. રિસોર્ટ આખો લાકડાની ઝુંપડીથી બનેલો હોવાથી આગે વિકરાળ રૂપ ઘારણ કરવામાં સહેજ પણ વાર લાગી નહોતી. આગને કાબૂમાં લેવા માટે 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.