યાત્રાધામ અંબાજીમાં એક કિલો સોનાનું દાન મળ્યું
યાત્રાધામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું છે.બ્રોસ ફાર્મા લિ.નાં ફાઉન્ડર નવનીતભાઈ પટેલનાં હસ્તે સોનાનું દાન અપાયું છે. તેઓ અમદાવાદનાં વતની છે અવાર નવાર અંબાજી મંદિર માટે સુવર્ણ દાન આપે છે. દેવસ્થાન ટ્રસ્ટે તેમનો આભાર માન્યો હતો.