ભારત સરકારનાં આવકવેરા વિભાગ દ્વારા વ્યક્તિગત ઇન્કમટેક્ષ ભરતા કરદાતાઓ માટે ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ અગાઉ ૩૧ જુલાઈ ૨૦૧૮ નક્કી કરાઈ હતી. છેલ્લી તારીખને આજે ત્રણેક દિવસ બાકી રહયા છે ત્યારે સીબીડીટી દ્રારા વ્યક્તિગત આવકવેરો ભરતા કરદાતાઓની અરજીને ધ્યાનમાં લઇ ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધી લંબાવાતા વ્યક્તિગત કરદાતાઓએ હાશકારો અનુભવ્યો છે.