મોરબી: 12 ગામના ખેડૂતોનો આજથી જળ માટે જંગ શરૂ કરી છે. માળીયા મિયાણાના કેનાલ કાંઠાના ખેડૂતોને સિંચાઈ માટેના પાણી કેનાલમાં નહીં પહોંચતા જંગ શરૂ કરાઇ છે. ખેડૂતોએ આંદોલન માટે ખેડૂત હિત રક્ષક સમિતિની રચના કરી છે. હજારો ખેડૂતો રેલી કાઢી કેનાલ પર પહોંચ્યા છે. ખેડૂતો ધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ખેડૂતોએ સરકાર સામે આંદોલન શસ્ત્ર ઉપાડ્યું છે. ખાખરેચી ગામથી ખેડૂતોની રેલી નીકળી છે.મોરબીમાં કેનાલ પાસે ખેડૂતોનું આંદોલન સામે આવ્યુ છે. પાણી માટે 12 ગામના ખેડૂતોએ આંદોલન કર્યુ છે. ત્યારે સિંચાઇ માટે પાણી ન મળતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. સિંચાઈ માટે પાણીની માંગ સાથે માળિયાના ખાખરેચી ગામથી ખેડૂતોની રેલી નીકળી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે.
ખાખરેચી ગામથી 12 ગામના ખેડૂતો માળિયા ખાતે આવેલી નર્મદા કેનાલ ખાતે પહોંચ્યા છે. જ્યાં તમામ ખેડૂતો પાણીની માંગ સાથે ત્રણ દિવસના ઉપવાસ કરશે. 12 ગામના ખેડૂતો પગપાળા અને ટ્રેક્ટરોમાં સવાર થઈને કેનાલ ખાતે પહોંચી રહ્યાં છે.
ખેડૂતોનું કહેવું છે કે ફક્ત બે દિવસ સુધી જ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. વરસાદ ન પડવાને કારણે તેમનો પાક સુકાઈ રહ્યો છે. સરકાર જો પાણી છોડશે તો તેમનો કપાસનો પાક બચી શકે એમ છે.