વડગામ તાલુકાના જેલોત્રા ગામ નજીક આસ્થાનું પ્રતિક એવા 300 મીટરની પર્વતની ઊંચાઇ ઉપર ગુરુ મહારાજનું મંદિર આવેલું છે. ત્યાં જેઠ મહિનામાં લોકો ગુરુ મહારાજનો પ્રસાદ કરવા માટે મોટી સંખ્યામાં જાય છે. પણ ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહોતી. ત્યારે જેલોત્રા ગામના પ્રજાપતિ અને રબારી સમાજના યુવનોએ 300 મીટરની ઉંચાઈએ પીવાના પાણીની વ્યવસ્થા કરતા દર્શનાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
વડગામ તાલુકાના જલોતરાની નજીક 300 મીટરની ઊંચાઇનો ગુરૂનો ભાંખરો આવેલો છે. અને તેના પર આસ્થાનું પ્રતિક એવા ગુરુ મહારાજનું મંદિર આવેલું છે. ગુરુ મહારાજની ટોચેે તળેટીમાંથી પાણી અને પીપ ઊંચકીને અંદાજીત 300 મીટરની ઊંચાઈએ પાણી પીવાની વ્યવસ્થા વડગામ તાલુકાના જલોતરા ગામના રબારી અને પ્રજાપતિ સમાજના યુવાનો કરી રહ્યા છે જે વંદનને પાત્ર છે. આમ પાણીની વ્યવસ્થાને જોઇ દર્શનાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.