વાવ ગત તા.૧ર/૧૦/ ૧૮ ને શુક્રવાર ની રાત્રે ૧૦ઃ૦૦ કલાકે વાવ તાલુકાના કુંડાળિયા ગામે આંબેડકર વાસમાં ગરબી જાવા આવેલા ચાર ઈસમોએ દારૂ પીધેલી હાલતમાં આવી તાયફો કરતા ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ૪ ઈસમોએ સાથે મળી લોખંડની ટોમી વડે એકની હત્યા કરી બે વ્યÂક્તને ઘાયલ કરતા સારવાર હેઠળ ખસેડાયા છે.
બનાવની વિગત એવી છે કે વાવ તાલુકાના કુંડાળિયા ગામે આવેલા આંબેડકર વાસમાં તા. ૧ર/૧૦/૧૮ ની રાત્રે સોલંકી (દલિત) પ્રકાશ શંકર, સોલંકી (દલિત) વશરામ વાઘા, સોલંકી પ્રવીણશંકર અને દલિત અંકિત પ્રભુગરબા જાવા આવેલા ત્યારે આંબેડકર વાસમાં રહેતા સોલંકી (દલિત) થાંનાભાઈ જામાભાઈ (ઉ.૩૩) એ તેમને કહ્યું કે તમો દારૂ પીને ગરબામાં ગાળો ના બોલો તેવામાં મામલો બીચકી જતાં આ ચારે ઈસમોએ સાથે મળીને થાંનાભાઈના માથા ઉપર લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરી હતી. જ્યારે થાંનાભાઈને છોડાવા જતાં તેમની પત્ની પીન્ટુબેન તેમજ કાકા લવજીભાઈ શંકરભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. આ બાબતે ફરિયાદી સોલંકી લવજીભાઈ શંકરભાઈએ માવસરી પોલીસ મથક ખાતે ચાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. પરંતુ માવસરી પોલીસનો સંપર્ક કરવા છતાં માવસરી પોલીસે ફોન રીસીવ કર્યો ન હતો. જા કે ચારે આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસની શોધખોળ ચાલુ છે.