બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકોમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે પગલા હાથ ધર્યા છે.ત્યારે અંધશ્રદ્ધાનો ફેલાવો ન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રથમ વખત આજે ભૂવાજી અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે જીલ્લામાં ઠેરઠેર ભૂવાઓ અને ધર્મગુરુઓના સંમેલન યોજી તેમને અંધશ્રદ્ધા ન ફેલાય અને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી .