ડીસા તાલુકાના સોયલા ફાટક દિવસમાં વારંવાર બંધ રહેતા વાહન ચાલકો તથા લોકો હેરાન પરેશાન થઈ ઉઠયા છે. ભીલડી નજીક આવેલ સોયલા ફાટક રેલવે ઓવરબ્રિજ ન હોવાને કારણે દિવસમાં માલગાડી ઓ તથા પેસેન્જર ટ્રેનો ની અવર જવરને કારણે વારંવાર બધ કરી દેતા વાહન ચાલકો તથા આજુ બાજુના ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અંગે બલોધરના સામાજિક કાર્યકર મગનભાઈ વકીલે રેલવે તંત્રને અને દિલ્લી સુધી રેલ્વે ઓવરબ્રિજ બનાવવા માંગ કરી છતાં હજુ સુધી ઓવરબ્રિજ ન કરતા દિવસ માં વિસથી પચીસવાર બંધ રહેતા કેટલીવાર ઇમરજન્સીમાં દર્દીઓ મોતને ભેટે છે.જેથી તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી જન માંગ છે.આ અંગે કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીને પણ રજુઆત કરી હતી.જો ઓવરબ્રિજ બનાવવામાં નહિ આવે તો લોકો ચૂટણીનો બહિષ્કાર કરે તેવો સુર પણ જણાઈ રહ્યો છે.