અમદાવાદઃ એક બાજુ રાજ્યભરની નદીઓમાં ગણપતિ વિસર્જન માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, પણ શુક્રવારે નદીના પ્રદૂષણ અંગે જાહેર કરાયેલા નિયમો જ નેવે મુકાઈ ગયા. શુક્રવારે શહેરભરમાં તાજિયા જુલૂસ નીકળ્યા હતા. જોકે લોકોએ સાબરમતી નદીમાં તાજિયાને ઠંડા કર્યા હતા. સાબરમતીમાં તાજિયા ઠંડા કરવમાં આવતા લોકોએ સરકારની નીતિઓ સામે સવાલો કર્યા છે. જો ગણપતિ વિસર્જન કરવાની મનાઈ હોય તો તાજિયાને મંજુરી શા માટે અપાઈ.