કાંકરેજ તાલુકામાં વ્યÂક્તગત શૌચાલય બનાવવામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થયા છતાં તેની તપાસ નહીં થતાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે ત્યારે થરા નગરપાલિકા વિસ્તારના જાગૃત નાગરિક વિપુલકુમાર દેવચંદભાઈ પ્રજાપતિ રહે. પ્રજાપતિવાસ- થરાએ છેલ્લા એક વર્ષથી થરા નગરમાં થયેલા વ્યÂક્તગત શૌચાલય ગેરરીતિની તપાસ માટે માંગ કરવા છતાં ફક્ત પત્રવ્યવહાર સિવાય કોઈ જ તપાસ નહી થતાં નિયામક એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ ને આ બાબતની જાણ અરજી કરતાં તેમાં જણાવેલ છે કે થરા ન.પા.ના જુદા જુદા વિસ્તારમાં શૌચાલય બનાવવામાં વિવિધ એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર તથા ગંભીર ગેરરીતિઓ આચરેલ છે. જે નગરપાલિકાના હિતમાં ન હોઈ નગરપાલિકાને આર્થિક નુકશાન કરેલ છે.