ગત તા.ર૩/૧૧/ર૦૧૮ ના રોજ પાલનપુરથી વાપી સંચાલિત થતી પાલનપુર ડેપોની બસ (નં.ર૧૬૯) ના ડ્રાઈવર કીત્રીકુમાર એન.જાષી (બેજ નં.૧૯૧૯) તથા કંડકટર ચેતનકુમાર એન.ભોજક (બેજ નં.ર૦૬) ની ફરજમાં હતા. ત્યારે છાપીથી સુરત મુસાફરી કરતા એક મુસાફર નામે ઈશીતકુમાર ભીખાલાલ ગુર્જરનું રોકડા રૂ.ર૧,૦૦૦ તથા પાનકાર્ડ, એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, ક્રેડીટ કાર્ડ વગેરે ભરેલું પાકીટ પડી જવા પામેલ હતું.
મુસાફર સુરત ઉતરરી ગયા પછી કંડકટરને આ પાકીટ મળી આવતા એમણે મુસાફરનો સંપર્ક કરી તા.ર૪/૧૧/૧૮ ના રોજ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સ્ટેન્ડ સુપરવાઈઝર આર.ટી. સુરતીની હાજરીમાં મુસાફરને પાકીટ પરરત કરી પોતાની ઈમાનદારી સાથે એસ.ટી. પ્રત્યેની વફાદારીપૂર્વક ફરજ અદા કરી હતી. તેમણે મુસાફરોમાં એસ.ટી.કર્મચારી પ્રત્યે વિશ્વાસ વધે એવુ ઉમદા ઉદાહરણ પુરુ પાડયુ છે. જેમની ફરજ નિષ્ઠા અને વફાદારી ધન્યવાદને પાત્ર છે.