ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા સદરપુર નજીક આવેલી જમીન ઉપર ગેરકાયદે રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવી દેવાયા છે. અને ગટરના ગંદા પાણીના નિકાલ માટે આકેસણ ગામની જમીનની માંગણી કરવામાં આવી છે. જેની સામે સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. જે અંતર્ગત સોમવારે સરપંચ સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
પાલનપુર નગરપાલિકા દ્વારા અગાઉ સદરપુર નજીક ગંદાપાણીના નિકાલ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, પાલિકાના સત્તાધીશોએ ત્યાં રાજીવગાંધી આવાસ યોજનાના મકાનો બાંધી દીધા છે.