રાજ્ય પડેલા લીલા દુષ્કાળને પગલે આજે રાજ્ય સરકારે 4 લાખ કરતા વધુ ખેડૂતોને પાક વિમા સિવાયની વધારાની રૂ.700 કરોડની સહાય જાહેર કરી છે.કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ રાજ્ય સરકારે મદદ માટે ખેડૂતોને હૈયા ધારણા આપી છે. અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ખેડૂતોમાંથી જેમને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયતમાં રૂ. 13, 500 અને બિન પિયતમાં હેકટર દીઠ રૂ. 6800 સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો ખેડૂતોને વધુ સહાય ચૂકવવી પડશે તો તે રાજ્ય સરકારના બજેટમાંથી પણ ચૂકવવામાં આવશે. ખેડૂતોના પાકના અંદાજો કૃષિ વિભાગ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે. આ સહાય લાભાર્થી ખેડૂતોને તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે.