થરાદ સાચોર હાઇવે પાસે એક ટ્રકચાલકે ગાયને અડફેટે લીધી, ગાયનું ઘટના સ્થળે મોત

સાંચોર હાઇવે પર પાણીના ટાંકા પાસે એક ટ્રકચાલકે ગાયને અડફેટે લેતા ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇ જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. થરાદ-વાવ હાઇવે પર બેફામ ચાલતા ટ્રક ચાલકોના કારણે એક અઠવાડિયામાં ગાયનાં મોતનો ત્રીજો બનાવ બન્યો હતો.  ટ્રકમાં  UGVCL ના લાઈટ ના થાંભલા ભરેલી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા જીઈબીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓ આવીને ગાયના મોતને લઈને ધરમાદુ નાખવાની વાત કરતાં જીવદયા પ્રેમીઓએ જવા દીધી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.