સમગ્ર રાજ્યમાં ચોમાસા દરમિયાન મન મૂકીને વરસાદ વરસ્યો હતો. જેના લીધે ચોમાસુ પાકને પણ ફાયદો થયો હતો અને સામાન્યત ભાદરવા માસમાં વરસાદ નહિવત હોઈ ગરમી પણ પુષ્કળ પડતી હોય છે. પરંતુ ડીસા પંથકમાં સ્થિતિ વિપરીત બની છે. સમગ્ર ભાદરવા માસ દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હોઇ ધરતીપુત્ર એવા ખેડુતોના જીવ પડીકે બંધાયા છે. તૈયાર પાક લેવાના સમયે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ છે.