અમીરગઢ તાલુકામાં એક મહિનામા રીંછના હિંસક હુમલાનો ત્રીજો બનાવ બન્યો છે. અમીરગઢના બાલુન્દ્રા ગામના એક ખેડુત પર મોડી રાત્રે રીંછએ હિંસક હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. બાલુન્દ્રા ગામે ખેતરમાં રાત્રિ ફેરી કરતા સમયે ભાવાભાઇ ભૂરાભાઇ રબારી રીંછે હુમલો કર્યો હતો.જેમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. રીંછના હુમલાની જાણ થતાંજ 108ના ઇએમટી વિજય શ્રીમાળી અને પાઇલોટ અરવિંદદાન ગઢવી ઘટનાસ્થળે પહોંચી જઈ ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, રીંછે પીડિતને બચકા ભરી લોહી ચાખ્યું હોઈ તે માનવભક્ષી બને તેવો ભય ફેલાયો છે. અગાઉ આવા હુમલામાં માનવભક્ષી રીંછે ત્રણને મોતને ઘાટ ઉતાર્યા હતા.