પાલનપુર નગરપાલિકા દ્વારા આખરે લોકલાગણીને ધ્યાને લઈને શહેરના જામપુરાથી
જજના બંગલા સુધીનો રોડ બનાવી દેવાતા સ્થાનિક વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
પાલનપુરમાં સી.એમ.નો રૂટ બદલાતા જામપુરાથી જજના બંગલા સુધીનો બિસ્માર રોડ બનાવવાનું પાલિકા દ્વારા મુલત્વી રખાયું હતું. જેની સામે કાંગ્રેસના સ્થાનિક નગરસેવક કૌશલ જોશી સહિતના વેપારીઓએ બાંયો ચડાવતા મામલો ગરમાયો હતો.