બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કોંગ્રેસ ધ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી ધ્વારા બનાસકાંઠા સંસદ હરિભાઈ ચૌધરી ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે હરિભાઈ ચૌધરીએ કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ ડૂબાડ્યું છે અને હરિભાઈ ચૌધરી બનાસવાસીઓને જવાબ આપે કે કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ કેમ નીચું કર્યું છે.
ધાનેરા કોંગ્રેસ સમિતિ ધ્વારા મામાબાપજી મંદિર ખાતે નવા વર્ષના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. નવા વર્ષ શુભકામનાઓ પાઠવી તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ગઢવીએ બનાસકાંઠા જિલ્લાના સંસદ હરિભાઈ ચૌધરી ઉપર લાગેલા બે કરોડના આરોપને લઈ આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે પહેલા બી.કે ગઢવી,જે.વી.શાહ અને હરિસિંહ ચાવડાએ કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ ખુબજ આગવું બનાવ્યું હતું. પરંતુ આજે હરિભાઈ ચૌધરીએ કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ ડૂબાડ્યું છે.તેનાથી બનાસકાંઠાવાસીઓના માથા શરમથી જુકી રહ્યા છે.