ભાભરનું આરોગ્ય તંત્ર જાગ્યું : મૃતક મહિલાના ઘરના સભ્યોને સ્વાઈન ફલૂની દવાઓ અપાઈ

 
 
 
 
 
                           ભાભરમાં એક આધેડ મહિલાનું સ્વાઈન ફલૂથી મોત થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે, જેના પગલે આરોગ્ય તંત્ર જાગ્યુ છે. મૃતક મહિલાના ઘરે જઈને આરોગ્યના તબીબે ઘરના સભ્યોને સ્વાઈન ફલૂની દવા આપી હતી. પરંતુ મૃતક મહિલાના ઘરની આજુ બાજુ કે સોસાયટીમાં આરોગ્ય તંત્રએ કોઈ તસ્દી ન લેતા લોકોમાં ભય જાવા મળી રહ્યો છે. તંત્રએ સોસાયટીમાં સ્વાઈન ફલૂ બાબતે કોઈ આગેતરૂ આયોજન કે તેને અટકાવવા બાબતે ધ્યાન ન આપતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. આ બાબતે બી.એચ.ઓ.ને ટેલીફોનીક પૂછતાં જણાવેલ કે મૃતક મહિલા ૧પ દિવસ પહેલા અમદાવાદ ગયા હતા. ત્યાંથી સ્વાઈન ફલૂનો રોગ આવ્યો છે તેથી તેમના ઘરના સભ્યોને દવા આપી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.