મહેસાણા-વિરમગામ વચ્ચે જક્શી ગામે ટ્રેનની અડફેટે આવી જતાં યુવાનનું મોત થયું હતું.
વિરમગામ તાલુકાના જક્શી ગામે રવિવારે સાંજે ખુડદ ગામના આકાશ નટવરભાઈ ઠાકોર (૧૮) વિરમગામ -મહેસાણા રેલવે લાઇન ઉપર જક્શી ગામ નજીક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતાં મોત નીપજયું હતું. જે બાબતની વધુ તપાસ વિરમગામ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.