ચાણસ્મા વિસ્તારમાં વરસાદ ખેંચાતા બાજરી-કઠોળનું વાવેતર ન થયું

અષાઢ માસની શરૂઆત થઈ ગયા બાદ પણ ચાણસ્મા અને બહુચરાજી વિસ્તારમાં હજુ માંડ સિંઝનનો એક ઈંચ વરસાદ પણ થયો નથી. પરિણામે બાજરી અને કઠોળના પાકનું વાવેતર થઈ શક્યું નથી. જ્યારે બીજી બાજુ આ વિસ્તારના પાતાળ કુવા પરથી સિંચાઈ કરી બીટી કપાસનું વાવેતર કરવામાં આવેલ છે. પરંતુ વરસાદે હાથતાળી આપતાં તે પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
વરસાદ ખેચાતા આ વિસ્તારમાં પીવાના પાણીની અછત અને ઘાસચારાની તંગીના કારણે લોકોને પોતાના પશુધન સાથે હિજરત કરવી પડે તેવી Âસ્થતિ ઉભી થઈ છે. સરકારે હવે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી માસ્ટર પ્લાન બનાવી તેનો અમલ કરવો જાઈએ.
હાલમાં હવામાન જાતાં નજીકના દિવસોમાં આ વિસ્તારમાં વરસાદનું આગમન થાય તેવા કોઈ ચિન્હો નહિં જણાતાં દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉપરોક્ત બંને વિસ્તારોમાં હજુ સુધી ખેતી લાયક વરસાદ થયો નથી. ત્યારે ખેડૂતોએ પાતાળ કૂવાઓ પરથી સિંચાઈ કરીને બે માસના અંતમાં મોટા પાયે બીટી કપાસનું વાવેતર કર્યું હતું. અને પાક મેળવવા હાલ ખેડૂતો પાતાળ કૂવાઓ પરથી પાણી મેળવી રહેલ છે. આમ તો ર૦ જુને ચોમાસાનું આગમન થઈ જતું હોય છે પરંતુ આજે જુલાઈ અડધો પતી જવા આવ્યો છતાં અમૂક ગામોને બાદ કરતાં વરસાદ આવ્યો જ નથી. તેથી મોટા ભાગની જમીનમાં પાછોતરો વરસાદ થતાંની સાથે રવિ પાકનું વાવેતર કરવાની ખેડૂતોને ફરજ પડશે. આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી આપવાની સરકારે જાહેરાત કરી છે તેનો સત્વરે અમલ થાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.