પાટણ તાલુકાના સંખારી ગામના વતની કૃણાલ સંજયભાઇ પરમારના બાળક નો જન્મ ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં તા.૧૭/૦૫/૧૮ ના રોજ થયો હતો. ત્યારબાદ તેને હદયરોગ ની તકલીફ જણાતા ર્ડા.હાર્દિક પટેલ, આર.બી. એસ.કે.ટીમ-પાટણએ પીડીયાટ્રીક-ગાંધીધામ સાથે વાતચીત કરીત્યારે જાણવા મળ્યું કે, બાળકને હદય રોગની તકલીફ છે. તેને યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરવું પડે તેમ છે. ત્યારે તુર્તજ ગાંધીધામની ટીમને જાણ કરી એમ્બ્યુલન્સ દ્વારા યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. પાટણ આર.બી.એસ.કે. ટીમ દ્વારા તા.૧૮/૦૫/૧૮ ના રોજ તેની મુલાકાત લેવામાં આવી અને ઓપરેશન કરવાનું કહેતા બાળકના પિતા તૈયાર ન હતા. પરંતુ આર.બી. એસ.કે.ટીમ-પાટણ દ્વારા તેમને સમજાવતા બાળકના પિતા ઓપરેશન કરાવવા તૌયાર થયા અને તા.૨૯/૦૫/૧૮ ના રોજ તેનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. જે ઓપરેશન સફળ રહ્યું અને બાળકના પિતાને વાહન ભથ્થું આપવામાં આપ્યુ હતું.બાળકન હદયરોગની બીમારીથી સ્વસ્થ્ય બન્યું. બાળકને નવું જીવતદાન મળ્યું.