ગુજરાતમાં વરસાદના કારણે જૂની જર્જરીત ઇમારતો ધરાસાઈ થઈ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના ભાગલ વિસ્તારમાં ઘાંચી શેરીમાં એક ૨૨ વર્ષ જૂની ત્રણ માળની જર્જરિત ઇમારત નમી પડતા સુરત મહાનગરપાલિકા દ્વારા ઇમારત ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ જર્જરિત ઇમારતને ક્રેઇન દ્વારા ઉતારવાની કામગીરી ચાલીં રહી હતી.
તે દરમ્યાન ઇમારત અચાનક તાસના પત્તાના મહેલની જેમ ધડાકાભેર તૂટી પડતા આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.