અમદાવાદમાં ફરી એક વખત સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સફાઈ કર્મીઓએ વારસદારોને નોકરી આપવાથી લઈ કાયમી કરવા જેવી વિવિધ પડતર માંગણી ન સંતોષાતા અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરી છે. સફાઈ કર્મીઓની હડતાલને લઈ એડવોકેટ જનરલે કોર્ટ પાસે હસ્તક્ષેપની કરી માંગણી કરી જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાને કારણે રોગચાળો પણ ફેલાઈ શકે છે. 5000 જેટલા લોકો ફરજ પર ન હોવાને કારણે મુશ્કેલી ઉભી થાય છે. આ કામ માટે અમારે પ્રાઇવેટ એજન્સીને રાખવી પડી છે.
આ હડતાલમાં હજારો સફાઈ કામદારો જોડાયા છે. તેઓ સરસપુર ખાતે એકત્ર થયા હતા. આ હડતાલને કારણે શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે. જેને કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે.
સફાઈ કામદારોએ પોતાની માંગણીઓને લઈ બેથી ત્રણ વાર સત્તાધીશોને રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ પરિણામ ન આવતા હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો