વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પહોંચી રહ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી આણંદમાં અમુલના અતિઆધુનિક ચોકલેટ પ્લાન્ટ સહિત અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે. સાથે સાથે અન્ય જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના આધુનિક સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત સોલાર કો. ઓપરેટીવ સોસાયટીનું પણ ઉદ્ઘાટન કરશે. તેમના કાર્યક્રમોને લઈને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મોદીના કાર્યક્રમની શરૂઆત ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે થશે. અમૂલ બ્રાન્ડની માલિકીનો આ પ્લાન્ટ રહેલો છે. આણંદ જિલ્લામાં મોગર ગામમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોને પણ સંબોધન કરશે. આ પ્લાન્ટ ૧૯૦ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અહીં પ્રવર્તમાન પ્લાન્ટના ૬૦૦ ટનની ક્ષમતા સામે મહિને ૧૦૦૦ ટન ચોકલેટનું નિર્માણ થશે. અહીંથી જ મોદી આ જિલ્લાના આંકલાવના મુજકુવા ખાતે સોલાર એનર્જી કો.ઓપરેટીવ સોસાયટીને લોન્ચ કરશે. વાયા વીડિયો મારફતે આની શરૂઆત કરાવશે. ૧૧ ખેડૂતો દ્વારા સોસાયટીની રચના કરવામાં આવી છે. જેનાથી સોલાર એનર્જી સિંચાઈ માટે ઉત્પન્ન થશે.