જૂનાડીસા
કોરોના વાયરસને લઇ વહીવટી તંત્ર દ્રારા સાવચેતીના પગલા લેવા સુચના આપવામાં આવી છે. જૂનાડીસા ગ્રામ પંચાયત દ્રારા કોરના વાયરસ અંગે લોકજાગૃતિ ફેલાવવા રીક્ષા ઉપર સ્પીકર બાંધીને ગામમાં ફેરવવામાં આવી હતી. આ સાથે વારંવાર હાથ ધોવા, મોઢા પર માસ્ક બાંધવુ અને ખાંસી હોય તો તાત્કાલિક સારવાર કરાવવા જણાવાયુ છે. ગ્રામ પંચાયત દ્રારા ૨૨ માર્ચે લોકોને પોતાના ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની જૂનાડીસા ગ્રામ પંચાયત દ્રારા કોરોના વાયરસની જાગૃતિ માટે આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્રારા રીક્ષામાં સ્પીકર ગોઠવી જનજાગૃતિ માટે ગામમાં ફેરવવામાં આવી હતી. આ સાથે આવતીકાલે રવિવારે ધંધા-રોજગાર, પાનના ગલ્લાં અને ચાની હોટલો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧૩ કેસ પોઝીટીવ આવ્યા છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્રારા સાવચેતી રાખવા સુચના કરવામાં આવી રહ્યા છે. નોંધનિય છે કે, કોરોના વાયરસને લઇ સરકાર દ્રારા બે અઠવાડીયા માટે શાળા-કોલેજો બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે મોઢા ઉપર માસ્ક બાંધવા સુચનો કરવામાં આવ્યા છે.