ઊંઝા તાલુકામાં આ વર્ષે વરસાદના અભાવે ખેતી સુકાઈ રહી છે. ત્યારે ગ્રામ્ય લેવલે અપુરતી અને ઓછા વોલ્ટેજના વીજ પુરવઠાના કારણે મોટરો બળી જવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેના કારણે ખેડુતોને પડ્યા ઉપર પાટુ સમાન અહેસાસ થઈ રહ્યો છે. ખેડુતને ૧૦ કલાક વિજળી આપવા માટે ધારાસભ્યએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે.
ઉત્તર ગુજરાતમાં પાણીનું લેવલ પ૦૦ ફૂટ કરતાં નીચે ગયેલ છે. જેના કારણે ૭પ હોર્સ પાવરની મોટરો મુકવી પડે છે. ખરીફ સીઝનમાં ઓછા વરસાદના કારણે ઘાસચારાનું વાવેતર થયું નથી. માત્ર કપાસનું વાવેતર થયું છે, કપાસના વાવેતરને ૧૦ મહિના પાણી આપવું પડે છે, જા કે હાલ ચોમાસુ પાક નિષ્ફળ જતાં પાકને બચાવવા સરકારે ૧૦ કલાક વિજળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ ૧૦ કલાક વીજળી માત્ર ત્રણ અઠવાડીયા સુધી મળી છે. અપુરતી અને ઓછા વોલ્ટેજના વીજ પુરવઠાના કારણે મોટરો બળી જવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે.