ઉત્તર ગુજરાતમાં સુકા દુષ્કાળના ઓળા ઉતર્યા

ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં સાર્વિત્રક વાવણી લાયક વરસાદ થયો નથી. નજીકના દિવસોમાં વરસાદ થાય તેવાં કોઈ ચિન્હ જણાતાં નથી પરિણામે આ વિસ્તારમાં સુકા દુષ્કાળના ઓળા ઉતરશે તેમ જણાઈ રહ્યું છે. પાણી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે કેનાલમાં પાણી છોડવામાં આવતુ નથી. માત્ર પાતાળ કુવાઓ એક માત્ર સિંચાઈનો આધાર છે. હાલમાં ગુજરાત વિધુત બોર્ડ દ્વારા માંડ આઠ કલાક વીજ પુરવઠો ખેતી માટે આપવામાં આવે છે. જે પુરતો ન હોવાને કારણે તેમાં બે થી ચાર કલાકનો વધારો કરવા આ વિસ્તારના ખેડૂત મારફતે બુમ ઉઠી છે. 
અડધો અષાઢ પુરો થયો આકાશ તરફ જાતાં ઉનાળાની ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આકાશમાં વરસાદી વાતાવરણ બંંધાતુ નથી. નદી નાળા જળાશય ખાલીખમ છે. જિલ્લાના સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર જેવા વિસ્તારોમાં પીયતની સુવિધા ન હોવાને કારણે ખેતી બચાવવી મુશ્કેલ છે. કેનાલોમાં પાણી છોડવાની સરકારની જાહેરાત છેતરામણી સાબિત થઈ છે. બીટી કપાસ નાશ થવાને આરે છે. બાજરી કઠોળનું વાવેતર કરવાનો સમય હવે વીતી ગયો છે. પીવાના પાણીની પરિÂસ્થતિ વિકટ બની છે. ઘાસચારાનો ભાવ આસમાનને આંબી         ગયો છે. 
આ ગંભીર પરિÂસ્થતિ માંથી ખેડૂતને બચાવાનો એકમાત્ર ઉપાય આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં તેમજ પેટા કેનાલોમાં સત્વરે પાણી છોડવામાં આવે પરંતુ આ બાબતે સરકાર ગંભીર નથી. ખેતી માટે પાતાળ કુવાઓ એેકમાત્ર આધાર હોવાથી હાલમાં માંડ આઠ કલાક વિજપુરવઠો આપવામાં આવે છે. તેમાં વધારો કરીને ખેતી માટે ૧ર કલાક વિજપુરવઠો આપવા આ વિસ્તારના ખેડૂતોની ઉગ્ર માંગણી છે. લાચાર ખેડૂતની વાત સરકારના બહેરા કાને સંભળાતી નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.