યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટી રહયું છે મા અંબાના ધામમાં અત્યાર સુધીમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. શુક્રવારે ત્રીજો દીવસે 4 લાખ 70 હજાર 980 શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.ત્રીજા દિવસે 4 લાખ 47 હજાર 616 પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આજે 68,777 યાત્રિકોએ ની:શુલ્ક ભોજનનો લાભ લીધો હતી. બીજી તરફ 26 લાખ 33 હજાર 288 ભંડાર અને ગાદીની આવક થઇ હતી. સોનાની 507 ગ્રામની ભેટ મળી હતી. આજે બસમાં મુસાફરી કરેલા યાત્રિકોની સંખ્યા 1 લાખ 03 હજાર 445 થઇ હતી.