અંબાજી મેળામાં ત્રીજા દિવસે ૪.૭૦ લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણ પખાળ્યા

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટી રહયું છે મા અંબાના ધામમાં અત્યાર સુધીમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. શુક્રવારે ત્રીજો દીવસે 4  લાખ 70 હજાર 980 શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.ત્રીજા દિવસે 4 લાખ 47 હજાર 616 પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આજે 68,777 યાત્રિકોએ ની:શુલ્ક ભોજનનો લાભ લીધો હતી. બીજી તરફ 26 લાખ 33 હજાર 288 ભંડાર અને ગાદીની આવક થઇ હતી. સોનાની 507 ગ્રામની ભેટ મળી હતી. આજે બસમાં મુસાફરી કરેલા યાત્રિકોની સંખ્યા 1 લાખ 03 હજાર 445 થઇ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.