દાંતીવાડા કોલોનીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રાફીક સમસ્યા તાલુકામાં આવતા અધિકારીઓ તેમજ અરજદારો માટે માથાના દુખાવા સમાન સાબીત થઇ રહી હતી. ત્યારે રવિવારના વહેલી સવારે તંત્ર ધ્વારા પોલીસ સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કોલોનીમાં ગેરકાયદેસર બાંધકામ કરી કેટલીયા શોપિંગ સેન્ટરો બાંધી દેવામાં આવ્યા છે. પરંતુ અધિકારીઓ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. દબાણો દૂર કરવામાં પણ અધિકારીઓએ વ્હાલા દવાલાની નીતિ અપનાવી હોય તેવાં આક્ષેપો કરવામાં આવ્યા છે.