ડીસાના ભોપાનગરમાં બંધ ઘરમાં તસ્કરો ત્રાટકયા
રખેવાળ ન્યુઝ રાજપુર : ડીસાના ભોપાનગરમાં રહેતા ઘર માલિક ઘર બંધ કરીને પોતાના વતન ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી અંદાજે દોઢ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવના પગલે ભયનો માહોલ છવાયો છે.
શિયાળાની કાતિલ ઠંડીનો ભરપૂર ફાયદો ઉઠાવતા તસ્કરો ડીસા વિસ્તારમાં તરખાટ વર્તાવી રહ્યા છે.ત્યારે ભોપાનગર જોગણી માતાના મંદિર પાસે રેહતા ઠાકોર દિનેશભાઇ પોતાનું ઘર બંધ કરીને વતન ચેખલા ગયા હતા ત્યારે તસ્કરોએ રાત્રીના અંધારામાં તેમના ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી અંદર પડેલી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી અંદાજે દોઢથી બે લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી સવારે આજુ બાજુના રહીશોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તસ્કરોના તરખાટથી ભયનો માહોલ છવાયો છે.