વડાપ્રધાન અને સાંસદોના પગારમાં ૩૦ ટકાનો કાપ મૂકાયો, કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી 
નવી દિલ્હી. કેન્દ્રીય કેબિનેટે કેરોનાના પગલે મહત્વનો નિર્ણય કર્યો છે. કેબિનેટે વડાપ્રધાન અને સાંસદોના પગારમાં ૩૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. ૧ વર્ષ સુધી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહિત સાંસદોના પગારમાં કાપ મુકાશે. આ અંગેની માહિતી કેબિનેટ બેઠક પછી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી છે. વડાપ્રધાન રાહત ફંડમાં આ રકમ જમા કરાવવામાં આવશે. ૨ વર્ષ માટે સાંસદને મળતું ફન્ડ સ્થગિત કરવામાં આવ્યું છે. સંસદ સભ્યોને વિકાસ માટે મળતી ગ્રાન્ટમાં રૂ. ૭૯૦૦ કરોડ સ્થગિત કરાવામાં આવ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.