જુનાગઢમાં ફરી ભગવો લહેરાયો : પ૯ માંથી પ૪ બેઠક પર ભાજપનો વિજય

જુનાગઢ મનપાની સામાન્ય ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. અને કોંગ્રેસના સુપડા સાફ થઇ જતા રાજકીયક્ષેત્રે સન્નાટો છવાઇ ગયો છે. અને એક માત્ર વોર્ડ નં.૮માં એનસીપીના ચાર ઉમેદવારની પેનલનો વિજય થતા અને વર્ડ નં.૪માંથી  કોંગ્રેસના એક જ મહિલા ઉમેદવારનો વિજય થવાથી અપસેટ સર્જાયો છે. જુનાગઢ કોર્પોરેશનની ૧પ વોર્ડની ૬૦ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં વોર્ડ નં. ૩માં ૧ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું જેથી રવીવારે પ૯ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં આજે પરીણામ જાહેર થતા પ૯ માંથી પ૪ બેઠક અકીલા ઉપર ભાજપનો વિજય થયો છે. જયારે ૪ બેઠક એનસીપી અને ૧ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રદેશ ભાજપના અધ્યક્ષજીતુભાઇ વાઘાણી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા ભાજપ મહિલા મોરચાની શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, ચુંટણી ઇન્ચાર્જ નીતીનભાઇ ભારદ્વાજ સહિતના નેતાઓએ ભાજપના વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.