આબુ
આંતરરાષ્ટ્રિય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મિડીયા પ્રભાગ દ્વારા આયોજીત ‘રાષ્ટ્રિય મિડીયા મહાસમ્મેલન’ ની ગતરોજ ભવ્ય કાર્યક્રમમાં આબુ તળેટી Âસ્થત શાંતિવન ખાતે રપ૦૦ મિડીયા કર્મીઓની ઉપÂસ્થતિમાં સંપન્ન થયેલ.
બ્રહ્માકુમારીઝ મિડીયાના શશીકાન્ત ત્રિવેદીના જણાવ્યાનુસાર વર્તમાન સમયે જે મિડીયા સમક્ષ ચુનૌતિઓ તેનું નિવારણ અને તે માટે સકારાત્મક અભિગમ હેતુ દેશ- વિદેશથી આવેલ વિદ્વાન વક્તાગણોએ પોતાના વિચારો દર્શાવેલ નેપાલ ટી.વી. ચેનલના પ્રોડ્યુસર ડા.સુરેશ આચાર્યને જણાવેલ કે મિડીયામાં આજે પણ માનવમાત્ર વિશ્વાસ કાયમ છે. તેને યથાર્થ રાખવા માટે મૂલ્યનિષ્ઠ મિડીયા સમયની માંગ છે જેની પ્રેરણા શાંતિવનના પરિસર પરથી દરેક મિડીયા જગત લઈ શકે છે. મુંબઈ નવભારત ટાઈમ્સના એડીટર સુરેન્દ્ર ઠાકુરે પોતાના પેપરમાં સુવાક્યો તથા સકારાત્મક ન્યુઝથી થતી સુંદર અસરો અનુભવોનો અહેવાલ રજુ કરેલ.
પ્રસિધ્ધ પ્રવક્તા પ્રો.કમલ દિક્ષીતે જણાવેલ કે મિડીયા જગત પોતાના ઉદ્દેશથી વિપરીત ન જાય તે માટે વ્યÂક્તગત જાગૃતિ જરૂરી છે.