વડગામના હતાવાડાના અગ્રણી દ્વારા આત્મવિલોપનની ચિમકી

વડગામ : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના હતાવાડા ગામે ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્ર અખાડા કરતું હોવાના આક્ષેપ સાથે ગામના ઇસમે આત્મ વિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે.
વડગામ તાલુકાના કરનાળા ગ્રામ પંચાયતના હતાવાડાના ગામના સર્વે નંબર ૯૩ (ગૌચર) જમીન ઉપર ગામના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ બિન અધિકૃત દબાણ દૂર કરવા સ્થાનીક જિલ્લા, તાલુકા  કક્ષાએ તથા રાજયના મુખ્યમંત્રી સુધી લેખિત રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા દબાણદારોનો બચાવ કરાતાં આખરે કંટાળીને અરજદાર પરમાર દલાભાઈ ચેલાભાઈએ આત્મવિલોપન કરવાની ચિમકી આપતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જેને લઈ ગામમાં ઉત્તેજના છવાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.